Monday, August 1, 2016

નિયમિત નરણાં કોઠે પાણી પીવાના ફાયદાઓ


સારા સ્વાસ્થ્ય માટે પાણી અત્યંત જરૂરી છે. સવારના સમયે એવા બહુ જ ઓછા લોકો હોય છે, જે ખાલી પેટે પાણી પીતા હોય છે. પાણી એક એવું તત્વ છે જે તમારા શરીરની બધી જ બીમારીઓ અને દૂષિત તત્વોને શરીરમાંથી પેશાબ વાટે બહાર કાઢી દે છે. શું તમે એ વાત જાણો છો કે, જો તમે સવારના સવારમાં રોજ ખાલી પેટે 4 ગ્લાસ એટલે કે એક લીટર પાણી પીવો તો તમે આજીવન અનેક બીમારીઓથી બચીને આરોગ્યવર્ધક જીવન જીવી શકો છો.

આનાથી તમારું પાચનતંત્ર એકદમ દુરસ્ત રહે છે. અને મોટા ભાગની બીમારીઓ આપણા પેટમાંથી જ જન્મ લેતી હોય છે. જેથી જો સવારે પથારી છોડતા જ તમે ખાલી પેટે પાણી પીશો તો તમે આ તંદુરસ્તીને પોતાની પાસે રાખી શકશો.

રોજ સવારે ખાલી પેટે પાણી પીવું તે વોટર ટ્રિટમેન્ટ થેરેપી કહેવાય છે.
પાણી પીવાના એક કલાક પહેલાં અને એક કલાક બાદ સુધી કંઈપણ ખાવું પીવું ન જોઈએ.
એમાં પણ ખાસ કરીને ખોરાક તો ભુલથી પણ ખાવો ન જોઈએ.
શરૂઆતમાં આટલું પાણી પીવામાં તમને પરેશાની થશે જેના માટે બે ગ્લાસ પાણી પીને થોડીક મિનિટ રોકાઈ જવું પછી અન્ય બે ગ્લાસ પાણી પીવું આમ ધીરે-ધીરે તમને આદત પડી જશે.
જ્યારે તમે આ થેરેપીની શરૂઆત કરશો તો તમને એક કલાકમાં બેથી ત્રણવાર પેશાબ માટે જવું પડશે.
પરંતુ થોડાક દિવસ બાદ શરીર તેનાથી ટેવાઈ જશે અને પછી આ સમસ્યા પણ દૂર થઈ જશે.

ફાયદાઓ

ત્વચા ચમકદાર બનાવશે
કહેવાય છે કે પાણી તમારા લોહીના ઘાતક તત્વોને બહાર કાઢે છે. જેનાથી ત્વચા ચમકદાર બને છે.

નવી કોશિકાઓ બનશે 
સવારે સૌથી પહેલા પાણી પીવાથી માંસપેશીયો અને નવી કોશિકાઓનું નિર્માણ થાય છે.

વજન ઘટાડે
જ્યારે તમે સવારે પાણી પીવો છો ત્યારે તમારા શરીરનું મેટાબોલિજ્મ 24% સુધી વધી જાય છે જેનાથી તમે જલ્દી જ વેઈટ ઓછુ કરી શકો છો.

પેટ સાફ રાખે
સવારે કશુ પણ ખાતા પહેલા જો તમે પેટ ભરીને પાણી પીવો છો તો તમારુ પેટ સારી રીતે સાફ થશે જેના કારણે તમારું શરીર પોષક તત્વને સહેલાઈથી ગ્રહણ કરી શકશે.

બીમારીઓ દૂર કરે 
પાણી પીવાથી ગળાની બીમારી, માસિક ધર્મ, કેન્સર, આંખોની બીમારી, ડાયેરિયા, પેશાબ સંબંધિત બીમારી, કિડની, ટીબી, ગઠિયા, માથાનો દુખાવો જેવી બીમારીઓ શરીરમાં દૂર થઈ જશે.

તમારી ભૂખ વધારે 
સવારે પાણી પીને જ્યારે તમારુ પેટ સાફ થઈ જાય છે ત્યારે તમને ભૂખ વધારે લાગે છે. જેનાથી તમે સવારે સારો બ્રેકફાસ્ટ કરી શકો છો.

લોહી બનાવે
ખાલી પેટ પાણી પીવાથી રેડ બ્લડ સેલ્સ જલ્દી જલ્દી વધવા માંડે છે.

Wednesday, May 18, 2016

પાણી પીવા ના ફાયદાઓ

પાણી એટલે ધરતી નું અમૃત પીણું

ભૂખ્યા પેટે પાણી પીવાના ફાયદા-

જાપાનમાં સવારે ઉઠીને તરત પાણી પીવાની પ્રથા અત્યંત લોકપ્રિય છે. અને હમણાજ થયેલા સંશોધનો એ વાત ને માન્યતા પણ આપે છે.અમે અમારા મિત્રો માટે પાણી ના ફાયદાઓ વર્ણવી રહ્યા છીએ. જાપાન મેડીકલ એસોસિએશના જણાવ્યા પ્રમાણે જુના હઠીલા અસાધ્ય રોગો અને આધુનિક સમયના રોગો ઉપર પાણીનો ઈલાજ ખુબજ અસરકારક પરિણામો આપે છે.
  • જેવાકે માથાનો દુખાવો,
  • શરીરનો દુખાવો, 
  • હૃદયની સમસ્યાઓ,
  • જુનો સાંધાનો વા,
  • હૃદયના ધબકારા એકાએક વધી જવા,
  • વાઈ(ફીટ આવવી), 
  • મેદસ્વીતા,
  • શ્વસનતંત્રનારોગો અસ્થમા, 
  • ટી.બી.,
  • મેનેન્જાઇટિસ, 
  • કીડની અને
  • મૂત્રમાર્ગના રોગો,
  • ઉલટી,
  • ગેસની સમસ્યા, 
  • ઝાડા,
  • મળમાર્ગમાં મસા, 
  • ડાયાબીટીસ,
  • કબજીયાત,
  • આંખોના બધા પ્રકારના વિકારો,
  • ગર્ભાશયને લગતી સમસ્યાઓ,
  • માસિકની સમસ્યાઓ, 
  • કેન્સર, 
  • કાન-નાક
  • અને ગળાની તક્લીફો.

સારવારની રીત
  1. સવારે ઉઠીને બ્રશ કર્યાં પહેલા ૧૬૦ ml નો એક એવા ૪ ગ્લાસ પાણી પી જવું.
  2. ત્યાર પછી બ્રશ કરવું પણ ૪૫ મીનીટ સુધી કંઈપણ ખાવું કે પીવું નહિ.
  3. ૪૫ મીનીટ પછી તમે ખાઈ પી શકો છો.
  4. બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર કર્યાંની ૧૫ મીનીટ પછી ૨ કલાક સુધી કંઈપણ કશો કે પીશો નહિ.
  5. જે લોકો વૃદ્ધ અથવા બીમાર હોય અને ૪ ગ્લાસ જેટલું પાણી એકસાથે ના પી શકે તેમણે શરૂઆત થોડ પાણી પીવાથી કરવી અને ત્યારબાદ ધીમે ધીમે ૪ ગ્લાસ સુધી પહોંચવું.
  6. ઉપરની સારવાર બીમારીઓને નાબૂદ કરશે અને જે લોકો સ્વસ્થ છે તેઓની તંદુરસ્તીમાં વધારો કરશે.

નીચેના લીસ્ટ ઉપરથી એ ખ્યાલ આવશે કે કઈ સમસ્યાના નિવારણ માટે કેટલા દિવસ ઉપચાર કરવો જરૂરી છે.

૧. બી.પી. લોહીનું ઊંચું દબાણ – ૩૦ દિવસ
૨. ગેસ, એસીડીટી અને આંતરડાની સમસ્યાઓ- ૧૦ દિવસ
૩. ડાયાબીટીસ-૩૦ દિવસ
૪. કબજીયાત – ૧૦ દિવસ
૫. કેન્સર – ૧૮૦ દિવસ
૬. ટી.બી. – ૯૦ દિવસ
૭. સાંધાના વા ની સમસ્યાનો સામનો કરતાં લોકોએ પહેલા અઠવાડિયામાં માત્ર ૩ દિવસ અને ત્યારબાદ
બીજા અઠવાડિયાથી દરરોજ ઉપચાર ચાલુ રાખવો.

આ ઉપચાર પદ્ધતિની કોઈ આડઅસરો નથી, શરૂઆતમાં વ્યક્તિને વારંવાર પેશાબ કરવા જવું પડે એમ બને
પરંતુ આ ઉપાયને કાયમમાટે ચાલુ રાખવા થી શરીર એકદમ ચુસ્ત તંદુરસ્ત અને સક્રિય બને છે.

આ ઉપરાંત ચાઈનીઝ અને જાપાનીઝ લોકો જમતી વેળાએ ઠંડું પાણી પીવાને બદલે ગરમ ચા પીવે છે આની પણ આપણે ટેવ પાડવા જેવી છે કારણકે આપણે એમાં કાંઈજ ગુમાવવા જેવું નથી……

એવા લોકો જેઓ ઠંડું પાણી પીવાનું પસંદ કરે છે એમના માટે જ આ લેખ લખાયો છે એમ જાણો.

જમ્યા બાદ એક કપ ઠંડું પીણું પીવું સારું છે પણ જમતી વખતે જો તમે ઠંડા પાણીનો ઉપયોગ કરો છો તો તે
તમારા ભોજનમાં રહેલા તૈલીય પદાર્થો ( ઘી, તેલ, માખણ, વગેરે)ને થીજાવી દે છે અને એનાથી તમારી પાચનની ક્રિયા મંદ પડી જાય છે.

જયારે આ થીજી ગયેલા તૈલીય પદાર્થો પેટમાં રહેલા એસિડના સંપર્કમાં આવે છે ત્યારે એ તૂટે છે અને બાકીના ખોરાક કરતાં ઝડપથી આંતરડાઓમાં શોષાઈ જાય છે.

આ તમારા શરીરમાં ચરબીનો વધારો કરે છે તમારા આંતરડાઓ માં રહેલી આવી ચરબી તમને કેન્સર જેવી બીમારીનો શિકાર બનાવી શકે છે.

માટે જમતી વખતે ગરમ પાણી અથવા સૂપ પીવો સલાહ ભર્યો છે.

હૃદયરોગ વિશે એક ગંભીર બાબત

  • સ્ત્રીઓએ એક વાત સમજવી ખુબજ જરૂરી છે કે દરેક વખતે હાર્ટએટેક આવે ત્યારે ડાબા હાથમાં કળતર થાય એ જરૂરી નથી.
  • જડબામાં ખુબજ દુખાવો થતો હોય તો તમારે ચેતવાની જરૂર છે.
  • તમને હાર્ટએટેક આવ્યો હોય તો એ જરૂરી નથી કે તમને છાતીમાં જોરદાર દુખાવો થાય જ.
  • ક્યારેક ઉલટી ઉબકા કે ખુબજ પરસેવો પણ હાર્ટએટેક નો સંકેત આપે છે.
  • ૬૦% લોકો જયારે ગાઢ નિંદ્રામાં હતા ત્યારે તેમણે હાર્ટએટેક આવ્યો હતો અને તેઓ જાગી શક્યા નહોતા.
  • જડબામાં ખુબજ જોરદાર દુખાવો થાય તો તમે કદાચ જાગી જાવ અને હાર્ટએટેક ની સમયસર સારવાર મેળવી શકો. 


આપણે જેટલા વધારે માહિતગાર હોઈએ એટલા જીવન બચવાના મોકા વધારે.
એક હૃદયરોગ નિષ્ણાતના મતે જો દરેક વ્યક્તિ આ માહિતીને તેઓ જેટલા લોકોને ઓળખે છે તેઓ સુધી પહોંચાડે, તો તમે એટલું ચોક્કસ માનજો કે તમે એક જિંદગીને બચાવી શકો છો.
પ્લીઝ એક સાચા ફ્રેન્ડ બનો અને આ લેખ તમારા બધાજ મિત્રો સુધી પહોંચાડો.
આને અવગણશો નહિ શેર કરો કદાચ તમે એક જિંદગીને બચાવી શકો…